પાછળ જુઓ

પંચવટી યોજના

  •  
    • યોજનાનો હેતુ

    • • રાજયની ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટે તથા ગામોમાં સુવિધાયુકતથ બાગ-બગીચાઓનો વિકાસ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં આનંદ-પ્રમોદના સાધનો સહેલાઇથી ઉ૫લબ્ઘ થાય તે છે.

      • લોકો સમી સાંજે પોતાનો સમય આનંદપૂર્વક વ્યતીત કરી શકે, મહિલાઓ પોતાના બાળકો સાથે શાંતિથી સમય ૫સાર કરી શકે.

      • ગામની વૃદ્ઘ વ્યકિતઓ આરામથી બેસી સમય ૫સાર કરી શકે તથા ચિંતન કરી શકે તેવા સ્થળનું નિર્માણ કરવાનો હેતુ છે.

      • પંચવટી યોજના અનુસાર પી૫ર, વડ, હરડે, વેલ, અશોક તથા અનેક ફળાઉં વૃક્ષો વાવવાનાં છે. જેથી પારં૫રિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઇ રહે.