પાછળ જુઓ

સમરસ ગ્રામ યોજના

  •  
    • સમરસ ગામ યોજનાના મહત્‍વના મુદ્દાઓ

    • • ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ જરૂરી છે. આને કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે અને સુમેળભર્યુ વાતાવરણ પેદા થાય. આ માટે રાજય સરકાર કટિબદ્ઘ છે. એટલા માટે જ સર્વસંમતિથી રચાતી ગ્રામપંચાયતો માટે પ્રોત્સાહક અનુદાનની રકમમાં નોંધપાત્ર વધારો કરી સન ૨૦૦૧ માં સરકારે ''સમરસ ગામ યોજના'' દાખલ કરી.

      • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા, આ રીતે સર્વસંમતિથી ચૂંટણી ગ્રામપંચાયતને નીચે પ્રમાણે પ્રોત્સાહક અનુદાન આપવાની જોગવાઇ થઇ છે.

      ૧. ૫૦૦૦ સુધીની વસ્તી ધરાવતી ગ્રામપંચાયતને રૂ. ૬૦,૦૦૦/- (સાઇઠ હજાર)

      ૨. ગ્રામ પંચાયતને રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ)

      • સમરસ ગ્રામપંચાયત નો એવોર્ડ પણ આવી ગ્રામપંચાયતોને એનાયત કરવામાં આવે છે.

      • સમરસ ગ્રામપંચાયતને જે રકમ અનુદાન પેટે મળે છે તેમાંથી ગામમાં ખૂટતી સગવડો ઉભી કરવામાં આવે છે. જીલ્લા આયોજન મંડળ વગેરે તરફથી ૫ણ નાણાંકીય જોગવાઇ ઉ૫લબ્ઘ છે. તેમાંથી વિકાસના કામો માટે પ્રાથમિકતા આ૫વાની હોય છે. આ રકમનો ઉ૫યોગ ગામના સ્થાનિક રહીશોની ગ્રામસભા નકકી કરે છે.

      • અત્યાર સુધીમાં મળેલ આવી પ્રોત્સાહક અનુદાનની રકમનો ઉ૫યોગ સામાન્ય રીતે અગિયારમા નાણાંપંચની મેચિંગ ગ્રાન્ટ તરીકે કરવામાં આવ્યો છે.

      • પ્રોત્સાહક અનુદાનનો ઉ૫યોગ ગામના સામૂહિક વિકાસના કામો કરવામાં થાય છે, જેમ કે પીવાના શુદ્ઘ પાણીની યોજના, આંતરીક એપ્રોચ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટની સુવિધા, પ્રાથમિક શાળાના ઓરડાઓ, પ્રાથમિક સારવાર કેન્દ્રોની વ્યવસ્થા, જળસંચય યોજના, જાહેર શૌચાલયના અને દૂષિત પાણીના નિકાલની યોજના કે પ્રાથમિક સુવિધા... વગેરેમાં કરવાનો છે. આ ઉ૫રાંત જયાં પાણીની કાયમી તંગી વરતાતી હોય ત્યાં વોટર રિચાર્જની વ્યવસ્થા કરવાની, તળાવો ઉંડા કરવાના તથા બનાવવાના, કૂવા ખોદાવવાના તથા નદીનાળાં ૫ર આડબંધો બાંધી પાણીની સુવિધાઓ ઉભી કરવાની હોય છે.