પાછળ જુઓ

સરદાર પટેલ આવાસ યોજના

  •  
    • આ યોજનામાં તમારૂં મકાન કેવું બનશે ?

    • • ઓટલા સિવાય મકાનનું બાંધકામનું ક્ષેત્રફળ ૨૨.૯૦ ચો.મી. થી ઓછું ન હોવું જોઇએ.

      • યોજનાના મકાનનું ખોદાણકામ ૦.૯૦ મીટર સુધી અથવા પીળી માટી (મુરમ) મળે ત્યાં સુધી, એ બેમાંથી જે વધુ હોય ત્યાં સુધી કરવાનું રહેશે.

      • પ્લીન્થની ધાબા સુધીની ઉંચાઇ ૨.૭૦ મીટર રાખવાની રહેશે.

      • મકાનની પેરાપેટ ઉંચાઇ ૦.૩૦ મીટર રાખવાની રહેશે.

      • યોજનાના મકાનમાં એક મોટા ઓરડાનું મા૫ ૩.૩૫ X ૪.૯૮ મીટર રાખવાનું રહેશે.

      • સંડાસ બાથરૂમનું માપ ૧.૦૦ મીટર X ૧.૮૨ મીટર રાખવાનું રહેશે.

      • પ્લીન્થની ઉંચાઇ ૦.૩૦ મીટર તથા પ્લીન્થની ધાબા સુધીની ઉંચાઇ ૨.૧૫ મીટર રાખવાની રહેશે.

      • એકબાજુના ભાગમાં સંડાસની તથા બાકીના ભાગમાં બાથરૂમની જોગવાઇ રાખવાની રહેશે.

      • આગળના ભાગે ૧.૮૦ મીટર ૫હોળાઇનો ખુલ્લો ઓટલો જમીનથી ૦.૩૦ મીટર ઉંચાઇનો બનાવવાનો રહેશે.