પાછળ જુઓ

આંકડા શાખા

  •  
    • શાખાની કામગીરી
    •  

      જિલ્લા આંકડાકીય રૂપરેખા
      નિયામકશ્રી, અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર, ગાંધીનગરની સુચના મુજબ સમગ્ર રાજયમાં એકસુત્રતા જળવાઇ રહે તે માટે જિલ્‍લાની વિવિધ માહિતી જેવી કે વિસ્‍તાર અને વસતી, ભૌગોલિક સ્‍થાન,આબોહવા,ખેતીવાડી,પશુધન મત્‍સ્‍યોધોગ, ખનિજ,વીજળી,જીવન વીમો, બેંકીંગ, ભાવ, વાહનવ્‍યવહાર, સંદેશાવ્‍યવહાર, નાણાં વ્‍યવસ્‍થા,રોજગારી અને માનવશકિત,શિક્ષણ અને સાંસ્‍કૃતિક બાબતો, જન્‍મ-મરણ, જાહેર આરોગ્‍ય અને તબીબી સેવાઓ, ગુના, પોલીસ અને ન્‍યાયવ્‍યવસ્‍થા,સહકાર આયોજન વિગેરેને લગતી તાલુકા –જિલ્‍લાની વિવિધ કચેરીઓ પાસેથી માહિતી એકત્રિત કરી ચકાસણી કરી જિલ્‍લાની આંકડાકીય રૂપરેખા દર વર્ષની પ્રકાશિત કરવામાં આવે છે.અહેવાલના વર્ષ દરમ્‍યાન ર૦૧૦-૧૧ ની જિલ્‍લા આંકડાકીય રૂપરેખા પ્રકાશિત કરવામાં આવેલ છે.

      જિલ્લાની સામાજિક આર્થિક સમસ્યા
      અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર કચેરી ગાંધીનગરની સુચના મુજબ દર વર્ષની જિલ્‍લાની સામાજિક આર્થિક સમીક્ષા તૈયાર કરવામાં આવે છે. અહેવાલના વર્ષ દરમ્‍યાન વર્ષ ર૦૧૦-૧૧ ની જિલ્‍લા સામાજિક આર્થિક સમીક્ષા પ્રકાશિત કરવામાં આવેલ છે. વાર્ષિક વહીવટી અહેવાલ (ભાગ ૧ અને ભાગ ૨) જિલ્‍લા પંચાયતની વિવિધ શાખાઓ દ્રારા વર્ષ દરમ્‍યાન હાથ ધરાયેલ વિવિધ પ્રવૃતિઓને સંકલિત કરી કાયમી ધોરણે તે માહિતી જળવાઇ રહે તે માટે વિકાસ કમિશ્‍નરશ્રીની કચેરી, ગાંધીનગરની સુચનાથી આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે .આ અહેવાલ જિલ્‍લા પંચાયતની તમામ શાખાને, તાલુકા પંચાયતોને, જિલ્‍લા પંચાયતના ચાલુ સદસ્‍યશ્રીઓને તેમજ ગુજરાત રાજયના તમામ જિલ્‍લાને અત્રેથી મોકલી આપવામાં આવે છે. અહેવાલના વર્ષ દરમ્‍યાન ર૦૧૧-૧ર નો વાર્ષિ‍ક વહીવટી અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.

      ભાવ એકત્રિકણ
      અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર કચેરી ગાંધીનગર દ્રારા ,નિયત થયેલ જીવન જરૂરિયાતની ચીજવસ્‍તુઓના છુટક તથા જથ્‍થાબંધ ભાવો દરેક માસના પ્રથમ અને ત્રીજા શુક્રવારના રોજ નિયત થયેલી દુકાનેથી મેળવી ચકાસણી તથા તુલના કરીને ઉકત કચેરીને મોકલી આપવામાં ઓવે છે. આ અંગેનું નિયત રજીસ્‍ટર પણ નિભાવવામાં આવે છે. આ પ્રકારના ભાવો નિયામકશ્રી અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર ગુજરાત રાજય, ગાંધીનગરને ઇ મેઇલથી,ઓન લાઇન તેમજ ટપાલ દ્રારા મોકલી આપવામાં આવે છે.

      પ્રાદેશિક કક્ષાએ આંકડાઓની જાળવણી
      પ્રાદેશિક આંકડાકીય માહિતીના લાંબા ગાળાના વિકાસના કામોની પ્રક્રિયા તથા પ્રગતિની માહિતી લાંબા સમય સુધી હાથ ઉપર ઉપલબ્‍ધ રહે તે હેતુથી પ્રાદેશિક કક્ષાના બધાજ આંકડાઓને નિયત કરેલ રજીસ્‍ટરમાં નિયામકશ્રી અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્રની કચેરી ગાંધીનગરની સુચના મુજબ નિભાવવામાં આવે છે.

      રાજય આવકનાં અંદાજો (મૂડીસર્જન)
      વપરાશી ઉધોગના પ્રકાર મુજબ ગ્રામ/તાલુકા/જિલ્‍લા પંચાયત દ્રારા થયેલ મુડી સર્જન ( કેપિ‍ટલ ખર્ચ)ની વર્ષ ર૦૦૭-૦૮ સુધીની માહિતી તૈયાર કરીને ઓન લાઇનથી નિયામકશ્રી અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર ગુજરાત રાજય ગાંધીનગરને મોકલી આપવામાં આવેલ છે.

      રાજય આવકનાં અંદાજો (વપરાશી ખર્ચ) વપરાશી ખર્ચ અંગેની માહિતી ગ્રામ/તાલુકા/જિલ્‍લા પંચાયત દ્રારા થયેલ મુડી સર્જન ( કેપિ‍ટલ ખર્ચ)ની વર્ષ ર૦૦૭-૦૮ સુધીની માહિતી તૈયાર કરીને ઓન લાઇનથી નિયામકશ્રી અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર ગુજરાત રાજય ગાંધીનગરને મોકલી આપવામાં આવેલ છે.

      રાજયના આવકનાં અંદાજો( પંચાયતસ્‍તરના મહેકમના પગાર ભથ્‍થા-ખર્ચ)
      પંચાયતી સ્‍તરની સંસ્‍થામાં રોકાયેલ મહેકમના પગાર–ભથ્‍થાનાં ખર્ચ અંગેની ગ્રામ/તાલુકા/જિલ્‍લા પંચાયત દ્રારા થયેલ મુડી સર્જન ( કેપિ‍ટલ ખર્ચ)ની વર્ષ ર૦૦૭-૦૮ સુધીની માહિતી તૈયાર કરીને નિયામકશ્રી અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર ગુજરાત રાજય ગાંધીનગરને મોકલી આપવામાં આવેલ છે.

      પાક કાપણી અખતરાના સુપરવિઝનની કામગીરી –
      નિયામકશ્રી, ખેતીવાડી વિભાગ તરફથી ઋતુવાર ખેતીના પાકોનાં ઉત્‍પાદનમાં થતી વધધટને ધ્‍યાનમાં રાખવા પાકવાર,ઋતુવાર પાકોની કાપણી ઉપર સુપરવિઝનની કામગીરી અત્રેની શાખા દ્રારા કરવામાં આવે છે. જે તે તાલુકાના ગ્રામસેવક પાક કાપણીના અખતરાનાપાકોની કાપણીની તારીખ ,સમય નકકી કરે છે. સદરહુ તારીખ,સમય પ્રમાણે સ્‍થળ ઉપર સમયાંતરે સુપરવિઝનની કામગીરી કરવામાં આવે છે.

      આંકડા મદદનીશશ્રીઓની બેઠક -
      તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતોના આંકડા મદદનીશ દ્રારા આંકડાકીય કામગીરી કરવામાં આવે છે. અત્રેની શાખા દ્રારા દર માસે આંકડા મદદનીશશ્રીઓની બેઠક રાખવામાં આવે છે. જેમા નવા કોઇ સર્વે મોજણી આવેલ હોય તો તેનું માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. તેમજ મુદતી અહેવાલ,પડતર કાગળો, પડતર કામગીરી વિગેરે બાબતો પરત્‍વે ચર્ચા વિચારણા સમીક્ષા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન આવી કુલ ૧ર બેઠકો યોજવામાં આવેલ છે.

      તાલુકા આંકડા મદદનીશ દફતર તપાસણી –
      તાલુકા કક્ષાએ કામ કરતા આંકડા મદદનીશની કામગીરી ઉપર સતત નિયંત્રણ રાખી શકાય તે માટે નિયત સમયાંતરે તાલુકા કક્ષાના આંકડા મદદનીશોની દફતર તપાસણી કરવામાં આવતી હોય છે. અહેવાલ સમયગાળા દરમ્‍યાન આંકડા મદદનીશ્રીઓના દફતર તપાસણી કરવામાં આવે છે.

      વહીવટમાં કોમ્‍પ્‍યુટરાઈઝેશન –
      ઇ-ગવર્નન્‍સ દ્રારા વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા તેમજ ગુણવતા સુધારવા માટે રાજય સરકાર દ્રારા સમગ્ર રાજયમાં ઇ-ગ્રામ તેમજ ઇ-સેવા કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. તમામ તાલુકા પંચાયતોને ઇન્‍ટરનેટ કનેકશનથી સાંકળી લેવામાં આવી છે અને ઇ-મેઇલ એડ્રેસ ધરાવે છે. જિલ્‍લા પંચાયત ખાતેના સીધી ટેલીફોનની સવલત ધરાવતા અધિકારીશ્રીની કચેરીને ઇન્‍ટરનેટથી સાંકળી લેવામાં આવી છે અને ઇ-મેઇલ એડ્રેસ ધરાવે છે. જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં જીએસવાનની સેવાઓ ઉપલબ્‍ધ થયેલ છે. જિલ્‍લા પંચાયત મારફતે રાજય સરકાર સાથે શકય તેટલો વ્‍યવહાર ઇ-મેઇલથી કરવામાં આવી રહયો છે. તમામ તાલુકા પંચાયતને શકય તેટલો વ્‍યવહાર જિલ્‍લા પંચાયત સાથે ઇ-મેઇલથી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્‍લાની આંકડાકીય રૂપરેખા, વાર્ષિ‍ક વહીવટી અહેવાલ, સામાજિક-આર્થિક સમીક્ષા, ગ્રામસભાનો સંકલિત અહેવાલ, બજેટ વગેરે જેવી પુસ્તિકાઓ કોમ્‍પ્‍યુટર્સ ઉપર તૈયાર કરવામાં આવે છે. સ્‍કેનીંગની કામગીરી, ફેકસ મોકલવાની કામગીરી જેવી કામગીરી પણ કોમ્‍પ્‍યુટર ઉપર કરવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ તાલુકા પંચાયત કચેરીઓ સાથે વિડીયો કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવે છે.

      ર૦ મુદા અમલીકરણ અને સમીક્ષા સમિતિ –
      વર્ષ દરમિયાન ર૦ મુદા અમલીકરણ અને સમીક્ષા સમિતિના સભ્‍ય સચિવ તરીકે ઉકત સમિતિની બેઠકો યોજવામાં આવેલ છે. અને ર૦ મુદા અમલીકરણના અને સમીક્ષા સમિતિમાં થયેલ વિકાસના કામોની દર ત્રણ માસે સમીક્ષા કરવામાં આવે છે અને નિયત સમયે લક્ષાંક મુજબ સિધ્ધિ થાય તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

      ઇનપૂટ સર્વે –
      ભારતના સર્વેક્ષણના યુગમાં ખેતી અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. રાજયના ખેતી વિષયક આંકડા એકત્રિત કરવા તેમજ તેની જાળવણી ખુબજ મહત્‍વ ધરાવે છે. રાજયની ખેતી વિષયક આંકડાની માહિતી એકત્ર કરવામાં આ એક અગત્‍યનું કદમ છે. સંયુકત રાષ્‍ટ્ર–સંઘની ખોરાક અને ખેતી સંસ્‍થા તરફથી હાથ ધરવામાં આવતી વિશ્‍વ ખેતી વિષયક ગણનાના ભાગરૂપે ગુજરાત રાજયમાં પણ ખેતી વિષયક ગણના હાથ ધરવામાં આવે છે.

      પશુધન વસતિ ગણતરી -
      કેન્‍દ્ર સરકાર દ્રારા દર પાંચ વર્ષે રાજયમાં પશુધન વસતિ ગણતરી કરવામાં આવે છે તે અન્‍વયે જિલ્‍લામાં સને ર૦૦૭-૦૮ માં છેલ્‍લી પશુધન વસતિ ગણતરી કરવામાં આવેલ છે.

      ગ્રામ સવલત મોજણી (વિલેજ પ્રોફાઇલ) –
      આયોજનના નૂતન અભિગમમાં જયારે સંતુલિત ગ્રામ વિકાસ ન્‍યુનતમ જરૂરિયાત વિકેન્‍દ્રીત આયોજન આદર્શ ગ્રામ જેવા કાર્યક્રમ દ્રારા ગ્રામ વિકાસ ઉપર ભાર મુકવામાં આવ્‍યો છે, ત્‍યારે પ્રત્‍યેક ગામડાની મુળભૂત જરૂરિયાતો સંતોષાય તે પ્રકારનું આયોજન કરવા જુદા જુદા પ્રકારની ગામમાં સેવાઓ ઉપલબ્‍ધ હોય તે સવલતોને આધારે આંતર માળખાકીય મુળભૂત પાયાની જરૂરિયાતોથી વંચિત ગામોની માહિતી આયોજનની પ્રક્રિયામાં જુદીજુદી યોજનાઓના ધડતર માટે ખુબ ઉપયોગી અને અસરકારક પુરવાર થઇ શકે.આયોજનની પ્રક્રિયામાં જુદી જુદી યોજનાઓના અમલીકરણ અને પરિણામે ગામમાં ઉપલબ્‍ધ સવલતોમાં ફેરફાર થતા રહે છે. આ રીતે સમયાંતરે થતા ફેરફારને ધ્‍યાનમાં લઇ જુદી જુદી સવલતો અંગેની અધતન માહિતી તૈયાર કરી વડી કચેરીએ મોકલી આપવામાં આવે છે.

      જિલ્‍લા આવકના અંદાજો –
      જિલ્‍લાની ભૌગોલિક હદમાં વર્ષ દરમ્‍યાન વિવિધ આર્થિક પ્રવૃતિઓ દ્રારા ઉત્‍પાદિત થતી ચીજવસ્‍તુઓ અને સેવાઓના એકજ વખત ગણતરીમાં લેવાના નાણાંકિય મૂલ્‍યને જિલ્‍લાના ઘરગથ્‍થું ઉત્‍પાદકના અંદાજો ગણવામાં આવે છે. આયોજનના અભિગમને ધ્‍યાને લઇ ભારત સરકારના આયોજન પંચ દ્રારા જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા આવકના અંદાજો તૈયાર કરવાની કામગીરી હાથ ધરેલ છે. આમ જિલ્‍લા આવકના અંદાજો જિલ્‍લાનો આર્થિક વિકાસ માપવા માટેનો અગત્‍યનો માપદંડ છે.

      આર્થિક ગણતરી –
      કેન્‍દ્ર સરકાર દ્રારા દર પાંચ વર્ષે રાજયમાં આવેલ ધંધા રોજગારીની ગણતરી કરવામાં આવે છે. તે અન્‍વયે જિલ્‍લામાં સને ર૦૦૮માં છેલ્‍લી આર્થિક ગણતરી કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્રારા ચકાસણી કાર્યવાહી પુર્ણ થયેથી પ્રકાશિત કરવામાં આવશે.

      જિલ્‍લાની વેબસાઇટ –
      સરકારશ્રીની સુચના મુજબ જિલ્‍લા/તાલુકાની વેબસાઇટ બનાવવાની સુચના હતી.તે મુજબ જિલ્‍લા/તાલુકાની માહીતીનું સંકલન કરી વેબસાઇટ બનાવવામાં આવેલ છે.તેને સમયસર અપગ્રેડ કરવામાં આવે છે.
      વસતિ ગણતરી –
      વર્ષ ર૦૧૦-૧૧ દરમ્‍યાન વસતિ ગણતરી –ર૦૧૧ની કામગીરી હાથ ધરેલ જેમાં વસતિ ગણતરીની પુસ્તિકા પ્રસિધ્‍ધ કરવા માટેની પાયાની ગામવાર ગ્રામ નિર્દેશિકાની માહિતી તૈયાર કરી વસતિ ગણતરી એકમને મોકલી આપેલ. આ ઉપરાંત પી.ઇ.એસ.ની કામગીરી હાથ ધરેલ જેમાં વસતિ ગણતરી પછીની ચકાસણી હાથ ધરવામાંઆવેલ.

      જિલ્‍લા આયોજન મંડળ હેઠળના કામોનું નિરીક્ષણ –
      સરકારશ્રીની સુચના મુજબ આયોજન મંડળ હેઠળની ગ્રાન્‍ટમાંથી જે સ્‍થાનિક વિકાસના કામો કરવામાં આવે છે. તેવા કામોનું સ્‍થળ નિરીક્ષણ કરી તેની વિનિયમન અહેવાલ સરકારશ્રીને મોકલવામાં આવે છે.